Wednesday, July 16, 2008

કિનારા અલગ રહીને...




કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(આભારઃ લયસ્તરો.કોમ)

4 comments:

સુરેશ જાની said...

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

સરસ શેર .. ગમ્યો ..

Anonymous said...

રઈશની સદાબહાર ગઝલ
તેમાં
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.
વાહ્
ધ્વનીતની મધુરી ગાયકી

Anonymous said...

saras gazal
audio ke video link nathi pan ??

sarthak said...

सच में आप को पढ़ के बहोत ही अच्छा लगा कोई तो मिला जो एस ज़माने भी कुछ पुराणी यादे दे रहा ही । अगर आप मुझे और साईट के लिस्ट दे सके तो महेर्बने होगी
सार्थक
आप का एक चाहने